RCB Vs KKR: વરસાદને કારણે મેચ રદ્દ,બંને ટીમને મળ્યો 1-1 પોઈન્ટ

RCB Vs KKR ટીમને વરસાદ બન્યો વિલન વરસાદને કારણે મેચ રદ્દ બંને ટીમને મળ્યો 1-1 પોઈન્ટ RCB Vs KKR : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (RCB Vs KKR )વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે….
- RCB Vs KKR ટીમને વરસાદ બન્યો વિલન
- વરસાદને કારણે મેચ રદ્દ
- બંને ટીમને મળ્યો 1-1 પોઈન્ટ
RCB Vs KKR : રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (RCB Vs KKR )વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી છે. બેંગલુરુમાં સતત વરસાદને કારણે ટોસ થઈ શક્યો નહીં. આ મેચ KKR માટે ખાસ મહત્વની હતી કારણ કે આ મેચ જીતીને જ તે પ્લેઓફની રેસમાં ટકી શકી હતી. RCB એ પ્લેઓફમાં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું છે.
ફેન્સ વિરાટને મેદાન પર જોઈ શક્યા ન હતા
સસ્પેન્શન પછી IPL 2025 માં આ પહેલી મેચ હતી, પરંતુ ફેન્સ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં લાઈવ એક્શન જોવા માટે ઉત્સુક હતા. વિરાટ કોહલીના ટેસ્ટ નિવૃત્તિ પછી, ઘણા ફેન્સ વ્હાઈટ જર્સી પહેરીને મેદાન પર આવ્યા હતા, પરંતુ તેઓ એક ક્ષણ માટે પણ વિરાટને મેદાન પર જોઈ શક્યા ન હતા.
KKR માટે વરસાદ બન્યો વિલન
જો આપણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની વાત કરીએ, તો મેચ રદ્દ થયા પછી, તેમના 17 પોઈન્ટ થયા છે અને તેઓ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયા છે. બેંગલુરુએ હજુ સુધી પ્લેઓફ-4માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું નથી. જો આપણે ઈતિહાસ પર નજર કરીએ તો, 2016 થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં KKR સામે જીત મેળવી નથી અને આજની મેચ રદ્દ થવાથી, આ વલણ ચાલુ રહ્યું છે.#RCBvsKKR
બેંગ્લુરુના ફેન્સનો વિરાટ કોહલી પ્રત્યેનો પ્રેમ
ચિન્નાસ્વામી મેદાન પર લોકોનો વિરાટ કોહલી પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ દેખાય છે. ફેન્સ વ્હાઈટ જર્સીમાં પોતાના ખેલાડીને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા બદલ ટ્રિબ્યૂટ આપી રહ્યા છે.