24 કલાકમાં થશે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ? ગૃહ મંત્રાલયનો મોટો આદેશ!

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તેનું આયોજન 7 મે એટલે કે આવતીકાલે કરવામાં આવશે
આવતીકાલે ગુજરાતના 15 જિલ્લામાં મોકડ્રીલ યોજાશે. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોકડ્રીલનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં આજે બેઠક યોજાશે. ગાંધીનગરથી મુખ્ય સચિવ બેઠકમાં VCથી જોડાશે. મુખ્ય સચિવ સહિતના અધિકારી હાજર રહેશે.
પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે, કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોક ડ્રીલ કરવા આદેશો જારી કર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, તેનું આયોજન 7 મે એટલે કે આવતીકાલે કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન, નાગરિકોને હુમલા દરમિયાન બચવા માટે તાલીમ આપવામાં આવશે. આ મોકડ્રીલ 244 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે. તેનો ઉદ્દેશ નાગરિક સંરક્ષણ માટે વધુ સારી તૈયારીઓ કરવાનો છે. દેશમાં છેલ્લી મોકડ્રીલ 1971 માં યોજાઈ હતી.

નાગરિક સંરક્ષણ અધિનિયમ, 1968 સમગ્ર દેશમાં લાગુ પડે છે. તેમ છતાં, ફક્ત એવા વિસ્તારો અને ઝોનમાં જ મોકડ્રીલ કરવામાં આવશે. જે દુશ્મનના હુમલાના દૃષ્ટિકોણથી વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ માનવામાં આવે છે. અને તે 244 જિલ્લાઓમાં મોકડ્રીલ યોજવાની યોજના બનાવવામાં આવી છે. આ જિલ્લાઓ ભારત-પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા છે, જેમાં જમ્મુ અને કાશ્મીર, રાજસ્થાન, ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ થાય છે. તે જ સમયે, કેટલાક સંવેદનશીલ શહેરો છે જેને નાગરિક સંરક્ષણ જિલ્લાઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. નાગરિક સંરક્ષણના ઉદ્દેશ્યો જીવન બચાવવા, સંપત્તિનું નુકસાન ઓછું કરવા, ઉત્પાદનનું સાતત્ય જાળવવા અને લોકોનું મનોબળ ઊંચું રાખવાનો છે. યુદ્ધ અને કટોકટી દરમિયાન નાગરિક સંરક્ષણ સંગઠનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેમાં તેઓ આંતરિક વિસ્તારોનું રક્ષણ કરે છે. સશસ્ત્ર દળોને સહાય પૂરી પાડે છે. નાગરિકોને સંગઠિત કરે છે.
જો સાયરન વાગે તો શું કરવું?
- તાત્કાલિક સલામત સ્થળોએ ખસેડો
- સાયરન વાગે ત્યારે ગભરાશો નહીં
- ખુલ્લા વિસ્તારોથી દૂર રહો
- ઘરો અને સુરક્ષિત ઇમારતોની અંદર જાઓ
- ટીવી, રેડિયો, સરકારી ચેતવણીઓ પર ધ્યાન આપો
- અફવાઓથી દૂર રહો, વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરો