Jammu kashmir : જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, 48 કલાકમાં સેનાએ 6 આતંકીનો ખાત્મો કર્યો

Jammu kashmir Encounter : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદનો સંપૂર્ણ નાશ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં આતંકવાદીઓને શોધવા અને નાબૂદ કરવા માટે સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, ગુરુવાર, 15 મે 2025ના રોજ, પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ. આ એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના નાદિર ગામમાં ચાલી રહ્યું છે, જે આતંકવાદ વિરોધી ઓપરેશનનો એક ભાગ છે.

પાકિસ્તાન વિરૂદ્ધ ભારતનું વધુ એક મોટું પગલું
પાકિસ્તાન વિરૂદ્ધ ભારતનું વધુ એક મોટું પગલું. તમામ ઈ-કોમર્સ કંપનીઓને સરકારનો સખ્ત આદેશ. પાકિસ્તાની ઝંડાવાળા પ્રોડ્ક્ટસ હટાવવા આદેશ. CCPAની અમેઝોન, ફ્લિપકાર્ટ સહિતને નોટિસ. પાકિસ્તાનના ઝંડાઓનું વેચાણ સહન નહીં થાયઃ જોશી

મ્યાનમાર સરહદે ભારતીય સેનાનું મોટું ઓપરેશન
મ્યાનમાર સરહદે ભારતીય સેનાનું મોટું ઓપરેશન.મણિપુરના ચંદેલમાં 10 ઉગ્રવાદીને સેનાએ કર્યા ઠાર.અસમ રાઈફલ્સે મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા.ખેંગજૉય તાલુકાના ન્યૂ સમતાલ ગામ પાસે અથડામણ.ગુપ્ત માહિતીના આધારે સેનાએ કરી મોટી કાર્યવાહી.ઉગ્રવાદીઓએ સેનાના જવાનો પર કર્યુ હતું ફાયરિંગ.સમગ્ર સરહદી વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત્

TRFને વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કરવા પ્રયાસ તેજ કરાયો
TRFને વૈશ્વિક આતંકી સંગઠન જાહેર કરવા પ્રયાસ તેજ કરાયો છે. જેમાં ભારતની ટીમ ન્યૂયોર્કમાં યુએનના અધિકારીઓને મળી છે. કાઉન્ટર ટેરરિઝમ કમિટીના એક્ઝિક્યુટિવ સાથે મુલાકાત કરી છે. તથા આતંકી સંગઠન લશ્કર-એ-તોઈબાનું મુખોટું છે. આતંકવાદમાં ટેક્નોલોજીના વધતા ઉપયોગ અંગે ચર્ચા થઇ છે.

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. જેમાં પુલવામાના ત્રાલમાં ત્રણ આતંકવાદીઓ ઠાર કરાયા છે. ત્રાલના નાદિર ગામમાં આતંકીઓ છૂપાયા હતા. સમગ્ર વિસ્તારમાં સુરક્ષાદળોનું સર્ચ ઓપરેશન છે. 48 કલાકમાં સેનાએ 6 આતંકીનો ખાત્મો કર્યો છે.

પાકિસ્તાની ધ્વજનું વેચાણ અસહ્ય: મંત્રી જોશી
CCPAએ એમેઝોન ઇન્ડિયા અને ફ્લિપકાર્ટ ઉપરાંત YouBuy India, Etsy, The Flag Company અને The Flag Corporation જેવી કંપનીઓને પણ નોટિસ મોકલી છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાની ધ્વજ અને તેની સાથે સંબંધિત એસેસરીઝનું વેચાણ સહન કરવામાં આવશે નહીં. મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું, “આવી અસંવેદનશીલ પ્રવૃત્તિઓને કોઈપણ રીતે શહન કરવામાં આવશે નહીં. ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સને તાત્કાલિક આવી તમામ સામગ્રી હટાવવા અને રાષ્ટ્રીય કાયદાઓનું પાલન કરવા સૂચના આપવામાં આવે છે.” જોકે, આ નિવેદનમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે આ ઉત્પાદનોનું વેચાણ કયા ચોક્કસ કાયદાનું ઉલ્લંઘન કરે છે.

આતંકવાદ વિરુદ્ધ સતત કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષા દળોની આ કાર્યવાહી રાજ્યમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવાના તેમના સંકલ્પને દર્શાવે છે. પહેલગામના આતંકવાદી હુમલા બાદ, સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધ અને તેમના ખાતમા માટે તેમના ઓપરેશનને વધુ તીવ્ર કર્યા છે. પુલવામા અને શોપિયા જેવા વિસ્તારોમાં ચાલી રહેલા એન્કાઉન્ટર્સ આ દિશામાં મહત્વપૂર્ણ પગલાં છે. આ ઓપરેશન્સ દ્વારા સુરક્ષા દળો ન માત્ર આતંકવાદીઓને નિષ્ક્રિય કરી રહ્યા છે, પરંતુ સ્થાનિક વસ્તીમાં સુરક્ષાનો વિશ્વાસ પણ પુનઃસ્થાપિત કરી રહ્યા છે.

શોપિયામાં 3 આતંકવાદીઓ ઠાર
મંગળવારે, 13 મે 2025ના રોજ, જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષા દળોએ એક અન્ય સફળ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં લશ્કર-એ-તૈયબા સંગઠનના 3 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ જણાવ્યું કે “ઓપરેશન કેલર” હેઠળ શોપિયાના શોકલ કેલર વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની ચોક્કસ માહિતીના આધારે આ એન્કાઉન્ટર હાથ ધરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટે આ ઓપરેશનમાં 3 આતંકવાદીઓને નિષ્ક્રિય કર્યા. આ ઓપરેશન હજુ પણ ચાલુ છે, જે દર્શાવે છે કે સુરક્ષા દળો આ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે સતત સતર્ક છે.

કાશ્મીર ઝોન પોલીસનું નિવેદન
આ એન્કાઉન્ટર અંગે કાશ્મીર ઝોન પોલીસે એક નિવેદન જારી કરીને જણાવ્યું છે કે, “અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આવેલા નાદેર ગામમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. પોલીસ અને સુરક્ષા દળો આ ઓપરેશનમાં સક્રિય રીતે કામ કરી રહ્યા છે.” પોલીસે વધુમાં જણાવ્યું કે આ ઓપરેશનની વધુ વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સુરક્ષા દળો આ ઓપરેશનને ખૂબ જ ગંભીરતાથી હાથ ધરી રહ્યા છે.

ત્રાલના નાદિર ગામમાં એન્કાઉન્ટર
પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં આવેલા નાદિર ગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલું એન્કાઉન્ટર ખૂબ જ તીવ્ર બન્યું હોવાનું સામે આવી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં 1 આતંકીને ઠાર કર્યો છે. સૂત્રોની માનીએ તો હજું 2 આતંકવાદીઓ ફસાયેલા છે. આ ઓપરેશનમાં સુરક્ષા દળોની સંયુક્ત ટીમ, જેમાં પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓનો સમાવેશ થાય છે, સક્રિય રીતે ભાગ લઈ રહી છે. આ ઓપરેશનનો હેતુ આતંકવાદીઓને નિષ્ક્રિય કરવાનો છે, જેથી આ વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા સ્થાપિત થઈ શકે.

Jammu kashmir : જમ્મુ કાશ્મીરના ત્રાલમાં આતંકીઓ સાથે અથડામણ, 1 આતંકવાદી ઠાર
Jammu kashmir Encounter : પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકવાદનો સંપૂર્ણ નાશ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યભરમાં આતંકવાદીઓને શોધવા અને નાબૂદ કરવા માટે સતત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, ગુરુવાર, 15 મે 2025ના રોજ, પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ. આ એન્કાઉન્ટર દક્ષિણ કાશ્મીરના નાદિર ગામમાં ચાલી રહ્યું છે, જે આતંકવાદ વિરોધી ઓપરેશનનો એક ભાગ છે.